અનુસુચિત જનજાતી કોમર્શિયલ પાયલોટ લાયસન્સ/ટ્રેઈની પાયલોટ લોન
ST Commercial Pilot Loan 2023
આ યોજના હેઠળ ગુજરાત રાજ્યમાં વસતા આદિજાતિના શિક્ષિત યુવક-યુવતીઓ માટે પાયલોટ તાલીમ માટે સરકારસશ્રી ધ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે. સરકારશ્રી ની અન્ય યોજનાઓ માટે અમારી વેબસાઈટ ગુજરાતજોબપોર્ટલ જોતા રહો.
![ST Commercial Pilot Loan 2023](https://gujaratjobportal.com/wp-content/uploads/2023/12/img_2777-2-1.jpg)
૧) યોજનાનું નામ
- કોમર્શિયલ પાયલોટ લાયસન્સ/ટ્રેઈની પાયલોટ તાલીમ માટે લોન
૨) કોને લાભ મળી શકે?
- અરજદાર અનુસુચિત જનજાતિનો લાયક ઉમેદવાર હોવો જોઈએ.
- મેટ્રીક્યલેશન(૧૦)
- અથવા
- હાયર સેકન્ડરી (૧૨)
- અથવા ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ કે તેની સમકક્ષ પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.
- સંબંધિત કોમર્શિયલ પાયલોટ ઈન્સ્ટીટ્યુટ માં પ્રવેશ મેળવેલ હોવા જોઈએ.
૩) આવક મર્યાદા
- સદર યોજના હેઠળ કોઈ આવક મર્યાદા નથી.
૪) ધિરાણ મર્યાદા
- રૂ ૨૫.૦૦ લાખ અથવા તાલીમનો જે ખર્ચ થાય તે બે માંથી જે ઓછુ હોય તે
૫) વ્યાજ દર
- ૪ ટકાના વ્યાજના દરે.
૬) અરજી કરવા
- આદિજાતિ પેટા વિસ્તારના વિદ્યાર્થીઓ/અરજદારોએ જે તે વિસ્તારના પ્રાયોજના વહીવટદારશ્રીની ભલામણથી દરખાસ્ત મોકલવાની હોય છે.
- આદિજાતિ પેટા વિસ્તાર સિવાયના વિદ્યાર્થીઓ/અરજદારોએ તકેદારી અધિકારીશ્રીની કચેરી મારફતે રજુ કરવાની હોય છે.
૭) યોજના હેઠળ મળવાપાત્ર લાભ
- રુ. ૨૫.૦૦ લાખ અથવા તાલીમનો જે ખર્ચ થાય તે બે માંથી જે ઓછુ હોય તે ૪ ટકાના વ્યાજના દરે.
૮) લોન પરત કરવાનો સમયગાળો
- લોન આપ્યા તારીખથી એક વર્ષ પછી લોનની વસુલાત ૧૦ વર્ષમાં મુદ્દલ અને ૨ વર્ષમાં વ્યાજ એમ ૧૨ વર્ષમાં સંપુર્ણ રકમ વ્યાજ સહીત ભરપાઈ કરવાની રહેશે.
૯) અરજી પત્રક ક્યાંથી મળશે.
- આદિજાતિ પેટા વિસ્તાર સિવાયના વિદ્યાર્થીઓ/અરજદારોએ તકેદારી અધિકારીશ્રીની કચેરી મારફતે અરજી રજુ કરવાની હોય છે.
૧૦) ઓફિસીયલ વેબસાઈટ
૧૧) યોજનાની દરખાસ્ત
- આદિજાતિ પેટા વિસ્તારના વિદ્યાર્થીઓ/અરજદારોએ જે તે વિસ્તારના પ્રાયોજના વહીવટદારશ્રીની ભલામણથી દરખાસ્ત મોકલવાની હોય છે.
૧૨) જરૂરી ડોક્યુમેન્ટ
- અરજદારનો જાતિનો દાખલો
- શાળા છોડ્યાનુ પ્રમાણપત્ર
- અરજદાર શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની નકલ (ધો-૧૦ થી આગળ અભ્યાસ કર્યે હોય તે બધાજ.
- કુટુંબની આવકનો દાખલો.
- આઈ.ટી. રિટર્ન, ફોર્મ – ૧૬
૧૩) યોજના અંગે ટુંકમાં
- આ યોજના હેઠળ ગુજરાત રાજ્યમાં વસતા આદિજાતિના શિક્ષિત યુવક-યુવતીઓ માટે પાયલોટ તાલીમના માટે રૂ.૨૫.૦૦ લાખની મર્યાદામાં લોન આપવાની જોગવાઈ અમલમાં છે. આ યોજના હેઠળ આવક મર્યાદા ધ્યાનમાં લેવામાં આવતી નથી. તેમજ આ યોજનામાં વિદ્યાર્થીની તાલીમ પૂર્ણ થયા બાદ છ માસ પછી લોનની રકમ કુલ-૬૦ હપ્તામાં ભરપાઈ કરવાની રહે છે. જેનો વ્યાજનો દર વાર્ષિક ૪% છે .