ગુજરાતમાં રહેતી મહિલા તમારો પોતાનો વ્યવસાય શરૂ કરવાની તક શોધી રહ્યા છો? જો હા, તો Mukhyamantri Mahila Utkarsh Yojana2023 તમારો ઉકેલ હોઈ શકે છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 26 ફેબ્રુઆરી 2020ના રોજ શરૂ કરેલી, આ યોજનાનો હેતુ મહિલાઓને આત્મનિર્ભર બનવામાં મદદ કરવા માટે રૂ. 1 લાખ સુધીની વ્યાજમુક્ત લોન આપીને સશક્તિકરણ કરવાનો છે. રાજ્યના શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં મહિલાઓને 0% વ્યાજ દરે લોન આપવા માટે તાજેતરમાં 17 સપ્ટેમ્બરના રોજ મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ લોન યોજના 2020-21ની શરૂઆત કરવામાં આવી છે.
આ યોજના નો અમલ ગ્રામીણ વિસ્તારમાં ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લી. (GLPC) દ્વારા અને શહેરી વિસ્તારમાં ગુજરાત શહેરી વિકાસ મિશન (GULM) દ્વારા કરવામાં આવે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ૧ લાખ જોઈન્ટ લાયાબીલીટી અર્નિંગ અને સેવિંગ જૂથ (JLESG) ની રચના કરી ૧૦ લાખ મહિલાઓને આ ગ્રુપો મારફતે જોડી આર્થિક પ્રવૃત્તિને ઉત્તેજન આપી આત્મનિર્ભર બનાવવાનો છે.
Mukhyamantri Mahila Utkarsh Yojana 2023
Mukhyamantri Mahila Utkarsh Yojana 2023
યોજના – Mukhyamantri Mahila Utkarsh Yojana 2023
વર્ષ – ૨૦૨૩
ઉદ્દેશ્ય- લોન સહાય પુરી પાડવાનો
લાભાર્થી – ગુજરાતના નાગરીકો
કોના ધ્વારા અમલમાં મુકવામાં આવેલ – ગુજરાત સરકાર
સત્તાવાર વેબસાઈટ – www.mmuy.gujarat.gov.in
આ યોજનાની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે.
(૧) Mukhyamantri Mahila Utkarsh Yojana2023 અંતર્ગત પ્રત્યેક જૂથને નિયમિત હપ્તા ભરશે તો રૂ. ૧ લાખની ઉપરનું વ્યાજ સરકારશ્રી તરફથી ચૂકવવાની જોગવાઇ કરવામાં આવી છે. (ર) Mukhyamantri Mahila Utkarsh Yojana2023 અંતર્ગત ગ્રામીણ વિસ્તારમાં ૫૦,૦૦૦ તથા શહેરી વિસ્તારમાં ૫૦,૦૦૦ JLESG ને આવરી લેવામાં આવશે. જેમાં વ્યાજ ની રકમ મહિલા ગ્રુપના વતી સરકારશ્રી દ્વારા ધિરાણ સંસ્થાઓને ચૂકવવામાં આવનાર છે. (૩) આ યોજનાનાં સફળ અમલીકરણ માટે રાષ્ટ્રીયકૃત બેંકો, ગ્રામિણ બેંકો, સહકારી બેંકો, પ્રાઇવેટ બેંકો, કો.ઓપરેટીવ મંડળીઓ તથા આર.બી.આઇ. માન્ય અન્ય ધિરાણ સંસ્થાઓ- MFI ને પણ સરકારશ્રી દ્વારા પ્રોત્સાહન આપવામાં આવનાર છે.